Wednesday, September 30, 2015

- હંમેશાં આ ચાર પર વિશ્વાસ રાખજો. માતા, પિતા, સાચા ગુરુ અને ઇશ્વર. એ ક્યારેય દગો નહીં આપે. જે એમની...

- હંમેશાં આ ચાર પર વિશ્વાસ રાખજો. માતા, પિતા, સાચા ગુરુ અને ઇશ્વર. એ ક્યારેય દગો નહીં આપે. જે એમની વાત નહીં માને તેઓ જરૂર દુ:ખી થશે. - બીજાના ગુણ જુઓ. જો તમે દરેક વ્યક્તિમાં દોષ જોશો તો કોઇની સાથે રહી નહીં શકો. જેની સાથે રહો છો તેના ગુણ જોવા, દોષ નહીં. - જેને તમે પ્રેમ કરો છો તેને દુ:ખ ન દેશો, દુ:ખ દેવામાં તો થોડીક ક્ષણ લાગશે, પરંતુ તેનો પ્રેમ પાછો મેળવવામાં કેટલાંય વર્ષો લાગી જશે. - ભૂતકાળની દુ:ખદાયક વાતો યાદ કરવાથી દુ:ખ વધશે. તેને યાદ ન કરો. ભૂતકાળની સારી ઘટનાઓને યાદ કરી, તેમાંથી પ્રેરણા લઇ ઉત્સાહી બનો.


from Tumblr http://ift.tt/1YOB9h5
via IFTTT

No comments:

Post a Comment